પોલીસ અધિક્ષક, ભરૂચ
http://www.spbharuch.gujarat.gov.in

નાગરીક અધિકાર પત્ર

7/9/2025 4:30:58 PM

નાગરીક અધિકાર પત્ર અન્વયે સરકારશ્રીની તમામ કચેરીમાં ""જનસેવા કેન્દ્રો"" ઉભા કરવા સરકાશ્રી તરફ થી આયોજીત કરવામાં આવેલ છે. જે તમામ કચેરીઓમાં એકસમાન હશે અને લોક અનુદાન/ભંડોળથી કાર્યરત થનાર છે. જે જન સેવા કેન્દ્ર તરીકે ઓળખાશે.

ના.અ.પત્ર (જનસેવા કેન્દ્ર) માટે ના.પો.અધિક્ષક કક્ષા ના. અધિકારીની નોડેલ અધિકારી તરીકે નીમણુંક આપવામાં આવેલ છે. જેથી અરજદારને પોતાની રજુઆત પ્રત્યે સચોટ અને વિશ્વાસનીય ન્યાય મળી રહે. અને સકારશ્રીનો જનકલ્યાણ અભિગમ સાકાર થઈ શકે .

ના.અ. પત્ર પરત્વે અરજદાર ને વિસ્‍તૃત સમજ / માર્ગદર્શન આપવામાં છે. આ કેન્દ્રમાં લોકોને અપાતી સેવાઓના સંદર્ભે જે વહીવટી ખર્ચ થવા પાત્ર છે. જે ચાર્જ અરજી દીઠ સરકારશ્રી એ આપેલ સતાની રૂએ ફી વસુલ કરવામાં આવે છે. આ અંગે થતી આવક માથી આ કેન્દ્ર વધુ સુવીધાવાળુ બનાવવાનું લક્ષ્ય છે.

નાગરિક અધિકાર પત્ર હેઠળ કોઈ અરજદારની અરજીનો નિકાલનો સમય નકકી કરવામાં આવે છે. જેથી અરજીનો સમયસર નિકાલ થઈ શકે. અને હવે રાઈટ ટુ ઈન્ફોરમેશન એકટ હેઠળ અરજદાર પોતાની અરજી ના નિકાલ બાબતે ની માહીતી મેળવી શકે છે.

જન સેવા કેન્દ્રનો મુદ્રા લેખ

" પોલીસ જનસેવા કેન્દ્રમાં આવતા અરજદાર/નાગરીક મહત્વની વ્યકિત હોય, અને આપણે તે વ્યકિત ઉપર રહેલ છે.જેથી તેઓને સેવા આપી આપણે કોઈ ઉપકાર કરતા નથી. પંરતુ તે આ કેન્દ્રમાં પધારી સેવા કરવાની તક આપીને આપણને કૃતાર્થ કરે છે."